મંગળવારે રાજ્ય સરકારના મંત્રી ગણપત વસાવા (Ganpat Vasava)એ જાહેરાત કરતા લૉકડાઉનમાં ફસાયેલા લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકાશે તેમ કહ્યું હતું. જોકે, આ માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત અમુક નિયમોનું પણ પાલન કરવું પડશે. લૉકડાઉન (Lockdown)ને કારણે હાલ રાજ્યના લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લા (Inter District Transportation)માં જઈ શકતા નથી. અમુક કેસમાં મંજૂરી સાથે જવાની છૂટ આપવામાં આવે છે. પરંતુ લૉકડાઉનને કારણે મોટી સંખ્યામાં મજૂરો કે નોકરી માટે બીજા શહેરમાં ગયેલા લોકો ફસાયા છે.


Leave a Reply