Tag: Tamasha Story

સાહિત્યની ખણખોદ: ઉર્દૂ સાહિત્યકાર મંટોનું જલિયાવાલા કનેક્શન

અમૃતસર શહેરની ગલીઓમાં ૧૯૧૯નો તે ભયાનક દિવસ આજે પણ ગુંજતો હશે. ૧૩ એપ્રિલે જલિયાનવાલા બાગમાં બ્રિટિશ જનરલ રેજિનાલ્ડ ડાયરે નિરાધાર ભારતીયો પર અંધાધુંધ ગોળીબાર કર્યો. સેંકડો મોત, લોહીથી લથબથ દીવાલો…