ગતરોજ ગુજરાતની ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. 1 અને 5 ડિસેમ્બર આમ બે તબક્કામાં મતદાન હાથ ધરવામાં આવશે. 8 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની પસંદગી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ત્યારે ડીજી વણઝારા સાથે સંકળાયેલી પાર્ટી પ્રજા વિજય પક્ષ દ્વારા તમામ બેઠકો પર સંતોને ચૂંટણી લડાવવા માટેની કટિબદ્ધતા બતાવવામાં આવી છે. હવે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
ગુજરાતની ચૂંટણી પર દેશની નજર છે. ગુજરાતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોના નામોને લઇને મનોમંથન કરી રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધી ઉમેદવારોની 9 યાદી જાહેર કરી છે. આજે આમ આદમી પાર્ટી મુખ્યમંત્રી પદ માટે લોકોની પસંદગી પણ જાહેર કરશે. તમામ વચ્ચે ચૂંટણીમાં સંતોને પ્રતિનિધીત્વ કરાવવા માટે પ્રજા વિજય પક્ષ દ્વારા કટિબદ્ધતા જાહેર કરવામાં આવી છે. રાજ્યના પૂર્વ સનદી અધિકારી ડીજી વણઝારા દ્વારા તેમના ટ્વીટર પરથી આ જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે આ વાત રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યું છે.
ડીજી વણઝારાએ ટ્વીટ કરતા જણાવ્યું છે કે, ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં સંતોને ચૂંટણી લડાવવા માટે “પ્રજા વિજય પક્ષ” કટિબદ્ધ છે. જેને ગુજરાતના સંતોના આશીર્વાદ પ્રાપ્ત છે. પ્રજા વિજય પક્ષ ધીમી પણ મક્કમ ગતિ એ રાજ્યના ચુનાવી મેદાનમાં આવી ગયો છે. જે જાહેર જીવનમાં નૈતિક મૂલ્યોની પુનઃ સ્થાપના કરી લોકોને નવો રાજકીય વિકલ્પ પૂરો પાડશે.
૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં સંતોને ચૂંટણી લડાવવા માટે “પ્રજા વિજય પક્ષ” કટિબદ્ધ છે. જેને ગુજરાતના સંતોના આશીર્વાદ પ્રાપ્ત છે. પ્રજા વિજય પક્ષ ધીમી પણ મક્કમ ગતિ એ રાજ્યના ચુનાવી મેદાનમાં આવી ગયો છે. જે જાહેર જીવનમાં નૈતિક મૂલ્યોની પુનઃ સ્થાપના કરી લોકોને નવો રાજકીય વિકલ્પ પૂરો પાડશે.— DG Vanzara (@VanzaraDg)

અત્રે નોંધનીય છે કે, આ જાહેરાત બાદ પક્ષ કોને ક્યાંથી ટીકીટ આપે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે. આજની સ્થિતી જોતા દિવસેને દિવસે ગુજરાતની ચૂંટણી ભારે રસાકસી વાળી થતી જોવા મળી રહી છે.