વડોદરામાં રાત પડતાં નવી મુસીબત, તળાવ ફાટ્યું, અત્યાર સુધી 30 લોકોનું રેસ્ક્યૂ

ભારે વરસાદની સ્થિતિ વચ્ચે અહીં તળાવ ફાટ્યું હોવાની ઘટના બની છે. સતત વરસી રહેલા વરસાદને પગલે દશરથ ગામે મલાઇ તળાવ ફાટ્યું છે. આ ઘટનાને પગલે 40 ઝૂપડા પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

વડોદરા: વડોદરામાંથી વધુ એક મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદની સ્થિતિ વચ્ચે અહીં તળાવ ફાટ્યું હોવાની ઘટના બની છે. સતત વરસી રહેલા વરસાદને પગલે દશરથ ગામે મલાઇ તળાવ ફાટ્યું છે. આ ઘટનાને પગલે 40 ઝૂપડા પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ મદદ માટે દોડી આવી હતી અને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બોટની મદદથી 30 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

author avatar
News Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *