તિરંગા યાત્રામાં ગૃહ મંત્રીએ મેયરને જાહેરમાં ખખડાવી નાખ્યા: સોશ્યલ મીડિયા પર આકરી ટીકા.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આજરોજ વડોદરા ખાતે ‘હર ઘર તિરંગા અભિયાન’ યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં મુખ્યમંત્રી, હર્ષ સંઘવી, વડોદરાના મેયર કેયુર રોકાડિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. જોકે આ દરમિયાન ધક્કામુક્કી થઈ હતી. જેના પછી હર્ષ સંઘવી વડોદરાના મેયર કેયુર રોકાડિયા ઉપર બગડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ તિરંગા યાત્રાનું રાજ્યભરમાં આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ સુરતથી આ અભિયાનની શરૂઆત કરાવી છે. ત્યારે હવે આ યાત્રા વડોદરા આવી પહોંચી છે. આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાના મેયર કેયુર રોકાડિયાને કોઈ કારણસર ફટકાર લગાવી હતી. જેમાં લોકો અને મીડિયા ઘેરી વળ્યા હોવાને કારણે ચકમક ઝરી હોવાની વાત છે. પરંતુ વડોદરાના મેયર કે જે પ્રથમ નાગરિક પણ છે , તેમની સાથે આ પ્રકારનું વર્તન ભારે ટીકા પાત્ર છે.આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *